રાવણનાં હતાં લક્ષણો ને રામ થઇ ગયાં, દાનવ બધા આ યુગ મહિં ભગવાન થઇ ગયાં.
મારી ગલીનાં નામચી શાણા હતાં કાલે, આજે સવારે એ બધા પ્રધાન થઇ ગયાં.
સુનામી અને ભૂકંપમાં તો કંઇજ ના થયું, ખુરશી જરાં હલી અને બેભાન થઇ ગયાં .
કહો હવે કોના પર હું ભરોસો મૂકું દોસ્ત, રક્ષકો જ ખુદ અહીં ભક્ષકો થઇ ગયાં.
મારી કવિતા આજ ક્યાંય છપાતી નથી ને, 'મોદી' રચિત કાવ્યોનાં સન્માન થઇ ગયાં.
- રાજ ભાસ્કર
|