મુખ પૃષ્ઠ > વિવિધ > સાહિત્ય > કાવ્ય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આઝાદી?
- માધુરી ટોપીવાળા

આતંકવાદી વિદેશી તાકતોથી
આત્મઘાતી બોમ્બ વિસ્ફોટોથી
નથી મળી આઝાદી નાગરિકોને

ભ્રષ્ટનેતાઓનાં ભ્રષ્ટાચારથી
અધિકારીઓનાં ખિસ્સા ભરવાથી
નથી મળી આઝાદી જનતાને

અબળાને દમનનો ભોગ બનવાથી
ભૃણહત્યા કરવાની લાચારીથી
નથી મળી આઝાદી નારીને

ભૂલકાંઓને શ્રમદાન કરવાથી
શ્રમદાન આપી અશિક્ષિત રહેવાથી
નથી મળી આઝાદી ભાવિને

યુવાનોને બેરોજગારીથી ઝઝૂમવાથી
ડિગ્રી લઈ દર-દર ભટકવાથી
નથી મળી આઝાદી યુવાનોને
ઘણું બધુ
અમન નું વમન!
પ્રધાન થઇ ગયાં
કોઈ ગોતી દેજો રે
ફક્ત રોતાં રોતાં
મેરે તો ગિરિધર ગોપાલ
ગુરૂ બિન કૌન બતાવે બાટ?