મુખ પૃષ્ઠ > વિવિધ > સાહિત્ય > કાવ્ય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સ્મૃતિ
સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ - કલાપી

દિન એક ગયો, પછી લાખ ગયા,
શિરમાં પળિયાં પણ આવી ચૂક્યા !
ઉરનું જળવુંય શમી જ જશે,
પણ તે ચટકું ફરી ક્યાં મળશે ? 1

દિનરાત સદાય જળ્યાં કરવું !
સહતાં સહતાં પણ કેમ સહુ ?
સહશું રડશું, જળશું, મરશું,
સહુ માલિકને રુચતું કરશુ ! 2

કંઈ બાકી રહ્યું ? હરિ ! યાચી લઉં !
ન સુકાવ ભલે જલ નેત્ર તણું,
પણ તે દિલને વિસરાવીશ ના,
સ્મૃતિ તે રહી તો દુ:ખ લાખ ભલાં ! 3
ઘણું બધુ
મને જોઈને ઊડી જતા પક્ષીઓને
શિશિર ઋતુનું વર્ણન
શિકારીને
આવો ફરી દીવા પ્રગટાવીએ
'પ્રથા' સામે 'વ્યથા'...!
"આપણું કે પછી પારકું" ?