મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 07 > નવરાત્રી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગુજરાતનો ગૌરવવંતો મહોત્‍સવ નવરાત્રી

W.D
યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્‍થિતા
નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમો નમઃ

નવરાત્રી ઉત્‍સવ એટલે નવ રાતોનો મહોત્‍સવ, નવરાત્રી એટલે ગુજરાત ની અસ્‍મિતા, ઓળખાણ. આ ઉત્‍સવ દરમ્‍યાન ગુજરાતીઓ શેરીઓમાં - પોળોમાં - મેદાનોમાં ગરબે ઘુમવા ઉમટી પડે છે. 'જ્‍યાં જ્‍યાં વસે એક ગુજરાતી સદા કાળગુજરાત' કવિ અરદેશરની આ કાવ્‍ય પંક્‍તિ ને અનુરૂપ ફક્‍ત ગુજરાતમાંજ નહીં, પરન્‍તુ જ્‍યાં જ્‍યાં ગુજરાતીઓ વસેલા છે, ત્‍યાં ત્‍યાં તેમણે આ ઉત્‍સવની મહેક પહોંચાડી દીધી છે. આ ઉત્‍સવ માટે ગુજરાતીઓજ નહિં, પરંતુ તેમની સાથે વસતાં અન્‍ય પ્રદેશવાસીયો પણ રાહ જુએ છે. ગુજરાતીઓ માટે તો નવરાત્રી એક મહોત્‍સવ જ છે, જે દર વર્ષે ગુજરાતીઓ ને ગાંડા કરી મુકે છે. એક સરખા નવ દિવસ સુધી રાત્રે ગરબે ઘુમવું અને આખી રાત માણવી એ એક અણમોલ લ્‍હાવો છે, જે ગુજરાતીઓ દર વર્ષે માણે છે.

નવરાત્રી એટલે નવદિવસ આદ્યશક્‍તિ માતા નવદુર્ગાની ઉપાસના અને ભક્‍તિ. હિન્‍દુ ધર્મમાં પાંચ દેવો મુખ્‍ય રીતે પુજાય છે - ગણપતિ, મહાદેવ શંકર, ભગવાન વિષ્‍ણુ, સૂર્ય દેવ અને આદ્યશક્‍તિ માં. દરેક જીવાત્‍મા ના જીવનમાં માતાનું સ્‍થાન હમેશા ઉંચુ હોય છે. પિતા કરતાં માતાનું મહત્‍વ વધારે હોય છે. માતા એ જનની છે - બાળકનું લાલન પાલન કરનાર છે, માતા વગર સૃષ્ટિ સંભવી શકે જ નહિં - તેથી જ માતાનું અનેરૂં સ્‍થાન હોવાથી હમેશા માતાને પહેલા પ્રણામ કરવામાં આવે છે. ઈશ્‍વરમાં પહેલાં માતા ના સ્‍વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે.

ત્‍વમેવ માતા ચ પિતા ત્‍વમેવ
ત્‍વમેવ બંધુચ સખા ત્‍વમેવ
ત્‍વમેવ વિદ્યા દ્રવિણમ્‌ ત્‍વમેવ
ત્‍વમેવ સર્વમ્‌ મમ્‌ દેવ દેવ

તેથી જ નવરાત્રી દરમ્‍યાન માતાની ભક્‍તિ કરવામાં આવે છે. ગુજરાતમાં નવરાત્રી ઉત્‍સવ આસો સુદ 1 થી આસો સુદ 9 સુધી ઉજવાય છે અને આસો સુદ 10 વિજયાદશમી ને દિવસે માતાજીને વિદાય અપાય છે.
પરંતુ દેવી સંપ્રદાય પ્રમાણે વર્ષમાં ચાર નવરાત્રી હોય છે -

ચૈત્ર સુદ 1 થી ચૈત્ર સુદ 9
અષાઢ સુદ 1 થી અષાઢ સુદ 9

દુર્ગોત્‍સવ -
આસો સુદ 1 થી આસો સુદ 9
મહાસુદ 1 થી મહાસુદ 9

આ ચારે નવરાત્રીઓમાં દેવી સંપ્રદાય વાળા એક સરખી રીતે ભક્‍તિ ઉપાસના કરે છે, પરંતુ આ ચારેયમાં બે નવરાત્રીઓનું મહત્‍વ વધુ છે.

ચૈત્ર સૂદ 1 થી ચૈત્ર સુદ 9
આસો સુદ 1 થી આસો સુદ 9

યોગાનુયોગ આ બન્ને નવરાત્રી દરમિયાન મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામ નો ઉલ્લેખ થાય છે. ચૈત્ર નવરાત્રી ની સમાપ્તી ચૈત્ર સુદ 9 એટલે ભગવાન શ્રી રામ નો પ્રાર્દુભાવનો દિવસ. અને દેવી ભાગવત અનુસાર આસો સુદ 1 થી આસો સુદ 9 ના દિવસોમાં ભગવાન શ્રીરામે આદ્યશક્‍તિ માતાની ઉપાસના કરીને વિજયાદશમી ને દિવસે રાવણ સાથે યુદ્ધ કરવા લંકા જવા સમુદ્ર તટ થી પ્રયાણ કર્યું હતું.
1 | 2  >>  
ઘણું બધુ
દુર્ગામાતાના સાક્ષાત નવ રૂપો
શ્રી મહા શક્તિની ઉપાસનાનું મહત્વ
માતા અંબારાણીનો દરબાર - અંબાજી