નાણાપ્રધાન પી. ચિદમ્બરમ્ બજેટમાં ખેડૂતો માટે રૂ. 60,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે, જેમાં ત્રણ કરોડ નાના અને સીમાંત ખેડૂતોને અપાયેલી લોનની સંપૂર્ણ માફીનો પણ સમાવેશ થાય છે. ચિદમ્બરમ તેમનું સાતમું અને આગામી લોકસભાની ચૂંટણી પૂર્વેનું અંતિમ બજેટ રજૂ કરતાં નાના અને સીમાંત ખેડૂતોને અપાયેલી કુલ રૂ. 50,000 કરોડની લોનની માફીની તેમ જ અન્ય એક કરોડ ખેડૂતો માટે સેટલમેન્ટ સ્કિમની ઘોષણા કરી હતી, જેને પગલે સરકારી તિજોરી ઉપર વધુ 10,000 કરોડનો બોજો પડશે. શિડયુલ્ડ કોર્મિશયલ બેન્કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો અને સહકારી ધિરાણ સંસ્થાઓ દ્વારા 31 માર્ચ, 2007 સુધીમાં અપાયેલી અને 31 ડિસેમ્બર, 2007ના રોજ ભરપાઇ કરવાપાત્ર થતી હોય તેવી કૃષિ લોનને પણ માફી... |