ગુજરાતના રાજ્યપાલ નવલ કિશોર શર્માએ અને મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની જનતાને 59માં પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવી હતી. રાજ્યપાલે તેમના સંદેશામાં કહેલું કે, ગુજરાતે વર્ષ 2007-08 માટે રાજ્ય વાર્ષિક યોજનામાં પોષણ, હાઉસિંગ , પ્રાથમિક શિક્ષણ અને પીવાના પાણી સહીતની સામાજીક સેવાઓને પ્રાથમિકતા આપી છે. તે સીવાય રાજ્યે ઓઈલ અને ગેસ ક્ષેત્રમાં પણ સારી કામગીરી કરી છે. રાજ્યે ગેસ આધારીત અર્થતંત્ર વિકસાવવા માટે ગુજરાત રાજ્ય પેટ્રોનેટ લીમીટેડની સ્થાપના પણ કરી છે. રાજ્યપાલે પોતાના સંદેશામાં જણાવ્યું હતું કે જો તમામ રાજ્યો એક સાથે પ્રગતી સાધે તો જ આપણા..