જૂનાગઢની ભવનાથ તળેટીમાં ગઇકાલે રવિવારે સવારે હર...હર... મહાદેવનાં નાદ સાથે મહાશિવરાત્રીનાં મેળાનો પ્રારંભ થયો. જયારે મહાશિવરાત્રીની આગવી ઓળખ સમાન દ્ગિંબર સાધુઓનો અખાડો શરૂ થઇ ગયો છે. શિવરાત્રીના મેળામાં જાણે જીવ અને શિવનો સંગમ થયો હોય તેવું વાતાવરણ જોવા મળે છે. ગિરનારની ગિરીમાળાઓ શિવનાનાદ્થી ગુંજી ઉઠી છે. લાખોની સંખ્યામાં દેશભરમાંથી શ્રધ્ધાળુઓ અને સાધુ-સંતો પૂણ્યનું ભાથુ બાંધવા ઉમટી પડયા છે. જૂનાગઢમાં ભવનાથ તળેટી ખાતે ચાલી રહેલા મહાશિવરાત્રીનાં મેળામાં ગઇકાલ થી આવતા ભાવિકોની ધીમી શરૂઆત થયા બાદ સાંજે શહેરીજનો મેળામાં ઉમટી પડતા આજના દિવસે આશરે એકાદ લાખ ભાવિકોની હાજરી નોંધાઇ.. |