પ્રેમીને બળજબરીથી નહીં પ્રેમથી લાગણીથી અથવા નરમાશથી વશમાં કરી શકાય છે. પ્રેમી પર અધિકાર જમાવવાની પાછળ ક્યારેક તેને હંમેશા માટે ગુમાવી દેવાનો ભય છુપાયેલો છે. પ્રેમી અન્યની સાથે વાતચીત કરે, હળેમળે અથવા ફરવા જાય તો આપણુ લોહિ ઉછાળા મારવા લાગે છે. પ્રેમીને ગુમાવી દેવાનો ડર અને અન્ય સાથે તેની મીત્રતાથી મનમાં ઉભરી આવતી શંકાઓ ક્યારેક સુખી પ્રેમજીવનને ભંગાણના આરે લાવી દે છે...