મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 09 > રેલવે બજેટ > ગુજરાતને સાત ટ્રેન મળી - રાઠવા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગુજરાતને સાત ટ્રેન મળી - રાઠવા
વેબ દુનિયા

રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આજે સંસદમાં વચગાળાનું રેલવે બજેટ રજૂ કર્યું હતું જેમાં ગુજરાતને આ વખતે પણ સાત નવી ટ્રેનોની ફાળવણી કરવામાં આવી હોવાનો દાવો નારાણભાઇ રાઠવાએ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, સતત ચોથીવાર ગુજરાતને રેલવે બજેટમાં લાભ મળ્યો છે. અમદાવાદ-દિલ્હી રાજધાની રોજ નવી દિલ્હી સુધી દોડશે. અમદાવાદ-અઝીમાબાદ એકસપ્રેસને સપ્તાહમાં ત્રણ દિવસ કરવામાં આવી છે. આવી જ રીતે અમરાવતી-મુંબઈને પણ દરરોજની કરી દેવામાં આવી છે. છુછાપુરા-તણખલા લાઈનનું ગેજ પરિવર્તન સાથે રાજપીપળા સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઊપરાંત વડોદરા-મુંબઇ એકસપ્રેસને છોટાઊદયપુર સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે.

છોટાઊદયપુરથી સીધી મુંબઇની ટ્રેન શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. નારણભાઇ રાઠવા 14મી લોકસભાના મતવિસ્તાર છોટાઊદયપુરમાંથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. બજેટમાં બોટાદ-જસદણની નવી લાઈનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અજમેરથી પાલનપુરનું ડબલગનું કાર્ય પણ મંજુર કરવામાં આવ્યું છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
ઘણું બધુ
બજેટમાં શાયરાના અંદાજ
લાલુનું મનમોહક વક્તવ્ય
બિહાર પર મહેરબાન લાલુ
ગુજરાતને લાલુએ બતાવ્યો ઠીંગો !
લાલુના બજેટથી લોકોમાં ખુશી
રેલવે 2.30 લાખ કરોડનું રોકાણ કરશે