સાર્વજનિક ક્ષેત્રની પંજાબ નેશનલ બેંક (પીએનબી) એ કહ્યું છે કે, તે આ વર્ષનાં અંત સુધીમાં એક બેંકિંગ સંયુક્ત ઉદ્યમ દ્બારા ભૂતાનમાં પ્રવેશ કરશે. જેનાં માટે એક સહેમતિ પત્ર પર જુલાઈ મહિના સુધી સહી કરવામાં આવશે.
પીએનબીનાં અધ્યક્ષ અને વ્યવસ્થાપક નિર્દેશક કે.સી.ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, રોકાણ અને મૂડીગત માળખાને લઈને સંભાવિત સંયુક્ત ઉદ્યમ ભાગીદારો સાથે વાતચીત ચાલી રહી છે તથા સહેમતિ પત્ર પર આગામી ત્રણ મહિનામાં સહી થશે તેવી શક્યતા છે.
તેમણે કહ્યું હતું કે, ભૂતાનમાં ચૂંટણી પ્રક્રિયા ચાલવાનાં કારણે સંયુક્ત એકમમાં વિલંબ થયો છે. ચાલુ વર્ષની સમાપ્તિ સુધીમાં ભૂતાનમાં વ્યાપાર શરૂ કરવામાં આવશે.
|