નવી દિલ્હી. દેશની રાજધાની દિલ્હીમાં દોડતી સાર્વજનિક પરિવહનની બસોમાં જીપીએસ પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવશે. જેનાથી દિલ્હીમાં યાત્રીઓની સુરક્ષામાં વધારો થાય તેવી આશા છે.
શહેરી વિકાસ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ હતુ કે, ટૂંક સમયમાં રાષ્ટ્રીય રાજધાનીમાં દોડતી બસો, ટેક્સી અને ત્રણ પૈડાના વાહનોમાં ગ્લોબલ પોઝીશનીંગ સિસ્ટમ લગાડવામાં આવશે.
જેના કારણે વાહનો નિયત સમય મર્યાદામાં જરૂરી સ્થળે પહોંચે છે કે કેમ તે જાણવામાં મદદ મળશે. ઉપરાંત માર્ગમાં તેમાં કોઈ ખરાબી આવે તો તેની પણ જાણ થશે.
|