મિશ્રિત મસાલા બનાવનારી કંપની એચડીએચને ચાલુ નાણાકીય વર્ષમાં પોતાનાં વ્યાપારમાં 20 ટકાની વધારાની આશા છે. કંપનીએ દુબઈમાં એક સ્થાપિત કરવાની યોજના બનાવી છે.
એમડીએચનાં સંસ્થાપક ધર્મપાલે પત્રકારોને જણાવ્યું હતું કે, કંપનીએ વર્ષ 2007-08 માં 252 કરોડ રૂપિયાનો વ્યાપાર કર્યો અને તેને ચાલુ નાણાકીય વર્ષમાં તેમાં 20 ટકા વધારાનું અનુમાન છે. કંપનીએ વર્ષ 2008-09 માં પંદર કરોડ રૂપિયાની નિકાસની શક્યતા તપાસી છે અને દુબઈમાં તે એકમ સ્થાપિત કરશે.
ધર્મપાલે કહ્યું હતું કે, આ એકમ સોથી વધું ઉત્પાદનોનું નિર્માણ કરશે અને શરૂઆતમાં સાત કરોડ રૂપિયાનું વેચાણ કરશે. દુબઈ માટે કાચો માલ ભારતમાંથી નિકાસ કરવામાં આવશે. કંપની રાજસ્થાનનાં નાગૌરમાં બે કોલ્ડ સ્ટોરેજ અને એક પ્રસસંકરણ એકમની પણ સ્થાપના કરી રહી છે.
|