ભારતે કહ્યું છે કે, હીરાનાં નકલી માપદંડની સમસ્યાનો ઉકેલ મેળવવા માટે તેઓ કિમ્બરલે પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમ (કેપીસીએસ) હેઠળ સામેલ સભ્ય દેશો સાથે મળીને કામ કરશે.
વાણિજ્ય સચિવ ગોપાલ પિલ્લૈએ દિલ્હી ખાતે એક બેઠક દરમિયાન કહ્યું હતું કે, કેપીસીએસનાં ચેયરનાં રૂપમાં ભારતે સંયુક્ત રાષ્ટ્ર સભ્ય સમાજ અને હીરા ઉદ્યોગ સાથે મળીને કામ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. જેથી અસરકાર સમાધાન કાઢી શકાય અને પડકારોનો સામનો કરી શકાય.
|