નવી દિલ્લી. ટ્રાન્સપોર્ટરોએ અને સરકાર વચ્ચે યોજાયેલી દસ કલાકની લાંબી બેઠકમાં થયેલ સમજુતી બાદ ટ્રાન્સપોર્ટરોએ ત્રણ દિવસથી ચાલતી હડતાલનો આજે અંત આણ્યો હતો. વાયુ વેગે વધેલા ટોલ ટેક્સમાં ઘટાડો કરવા, સાદુ ડીઝલ આપવા, તથા રાજ્યમાર્ગો પર સ્પીડ ગવર્નરોને હટાવવા જેવી માંગો સાથે ટ્રાન્સપોર્ટરોએ આ હડતાલ કરી હતી.
એઆઈએમટીસીના અધ્યક્ષ ચરણસિંહ લોહારાએ જણાવ્યું હતું કે કર અને સેવા સંબંધિત પ્રશ્નો ઉકેલાઇ ગયા છે. તેમજ ભારતીય રાષ્ટ્રીય રાજ્યમાર્ગ પરિવહન વિભાગ અને અન્ય સરકારી અધિકારીઓ તથા એઆઈએમટીસીના છ સભ્યોની એક સમિતિ ટોલ મુદ્દે વિચારણા કરશે. આ સમિતિ રચાયા બાદ ત્રણ મહિનાની અંદર પોતાનો અહેવાલ રજૂ કરી દેશે.
|