છેલ્લા કેટલાંક દિવસોથી ભલે કાચા તેલના ભાવમાં 35 ડોલર પ્રતિ બેરલનો ઘટાડો થયો હોય પરંતુ ઘરેલુ ઉપભોક્તાઓને આનો હજી કોઈ લાભ મળશે નહીં. સરકારે આજે ઈંધણના ભાવમાં ઘટાડો કરવાની સંભાવનાને આજે નકારી નાખી હતી. કારણ કે તેલ કંપનીઓને હજી પણ નુકસાન ભોગવવુ પડી રહ્યુ છે.
પેટ્રેલિયમ મંત્રી મુરલી દેવરાએ સંવાદાતાઓને જણાવ્યુ હતું કે અમે આંતરાષ્ટ્રીય કિમતોમાં હજુ પણ ઘટાડો થશે તો જ ઈંધણના ભાવમાં ઘટાડો કરવાનું વિચારીશું.
સાર્વજનિક આઈઓસી, એચપીસીએલ, તથા બીપીસીએલ દ્વારા પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનના સામાન્યથી ઓછા ભાવમાં કરાયેલા વેચાણના કારણે હજી પણ નુકસાન ભોગવવુ પડી રહ્યુ છે.
|