ગુજરાત સરકારે ગઈ કાલે છેલ્લા કેટલાયે સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તેવી ઉદ્યોહ નીતિ (આઈપી)ની ઘોષણા કરી હતી. સરકાર દ્વારા આ ઘોષણા વાઈબ્રંટ ગુજરાત ગ્લોબલ ઈનવેસ્ટર્સ સમિટ (વીજીજીઆઈએસ) પહેલાં કરાઈ છે.
રાજ્યના ઉદ્યોગ મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે આ ઘોષણાનું ઉદ્દેશ્ય રાજ્યમાં રોકાણકારોને આકર્ષિત કરવાનું અને રોજગારની તકો ઉપલબ્ધ થાય તે માટેનું છે.
આ સાથે આ ઘોષણાની અંદર વિશેષ રોકાણ ક્ષેત્રો (એસઆઈઆર)નો વિકાસ અને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) માડલના વિસ્તારની વાત પણ કરાઈ હતી.
આ ઘોષણામાં પ્રમુખ રૂપથી રોકાણકારોને આકર્ષિત કરવા સિવાય એસઆઈઆર અને પીપીપીને આગળ વધારવા માટે અને મેગાપ્રોજેક્ટ નિર્માણ પ્રોજેક્ટ પોર્ટ સંબંધી પ્રોજેક્ટ અવસર ઉપલબ્ધ કરવવાનો પણ સમાવેશ થાય છે.
|