યોજના પંચનું માનવું છે કે, 'ચાલૂ નાણાકિય વર્ષ દરમિયાન દેશના આર્થિક વૃદ્ધિ દર ઓછામાં ઓછો 6.7 ટકા રહેશે.'
પંચે કહ્યું કે, ' ગત ત્રણ માસની તુલનામાં અર્થવ્યવસ્થાની સ્થિતિમાં સુધાર આવ્યો છે જેનાથી વૃદ્ધિ દર ઓછામાં ઓછો ગત નાણાકિય વર્ષના બરાબર રહેશે. 2008-09 માં આર્થિક વૃદ્ધિ દર 6.7 ટકા રહ્યો હતો.'
યોજના પંચના ઉપાધ્યક્ષ મોંટેક સિંહ અહલૂવાલિયાએ સોમવારે અહીં પત્રકારોને જણાવ્યું કે, 'હું કહી શકું છું કે, અમે ઓછામાં ઓછા ગત નાણાકિય વર્ષમાં પ્રાપ્ત કરેલા વૃદ્ધિ દરનો લક્ષ્ય રાખવો જોઈએ. જો કે, મારું માનવું છે કે, અમે તેનાથી શ્રેષ્ઠ કરી શકીએ છીએ. અહલૂવાલિયાને ગત સપ્તાહે જ બીજી વખત યોજના પંચના ઉપાધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યાં છે.
|