ભારતીય રિજર્વ બૈંક એલ ઇનસેટ સાથે 500 રૂપિયા અને ઈ ઇનસેટ સાથે 20 રૂપિયાના મૂલ્યવાળા નોટોની નવી સિરીજ ટૂક સમયમાં જ જારી કરશે. બન્ને નોટો પર રિજર્વ બેન્કના ગવર્નર ડી.સુબ્બારાવના હસ્તાક્ષર હશે.
બેન્કના અનુસાર નવી સિરીજની નોટ 500 રૂપિયાના નોટોની મહાત્મ ગાંધી સિરીજ 2005 ના નોટો જેવી જ હશે, માત્ર તેની નંબરિંગ પેનલની બન્ને તરફ એલ ઈનસેટ હશે.
વીસ રૂપિયાના નોટની મહાત્મા ગાંધી સિરીજ-2005 ની જ સમાન નવી સિરીજની નોટોમાં નંબરોની બન્ને તરફ ઈ ઈનસેટ હશે, જેમાં ગવર્નર સુબ્બારાવના હસ્તાક્ષર હશે. બેન્કે કહ્યું હતું કે પહેલા જારી કરવામાં આવેલી 500 રૂપિયા અને 20 રૂપિયાની તમામ નોટો પણ કાયદાકીય રીતે માન્ય રહેશે.
|