જેટ એયરવેજ ભારતમાં હાલ 62 નિયમિત ઉડાણો ભરી રહી છે.પોતાની ઉત્કૃષ્ટ સેવા અને ગ્રાહકોની ભારે માંગ પર કંપનીએ 13 જૂનથી 30 નવી ફ્લાઈટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રકારે જેટના ખાતામાં 10 જેટીઆર અને ત્રણ બોઈંગ વિમાન વધુ શામેલ થવાની આશા છે. કંપનીએ નવી સર્વિસમાં ભોપાલ, ઈંદૌરનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે. આ બન્ને જ સ્થળોએ ઉડાણોની સંખ્યા વધારવામાં આવી રહી છે.
સુત્રોના જણાવ્યાનુસાર જેટ એયરવેજની મુંબઈ, દિલ્લી, બેંગલુરુ, કોલકાતા અને ચેન્નઈ જેવા મેટ્રો શહેરો સાથે જ કોચ્ચિ, પૂના, હૈદરાબાદ, કોઈમ્બતૂર, અમદાવાદ, જયપુર, ભોપાલ, અમૃતસર, જોરહટ, અગરતલા,ગૌહાટીમાં વિમાન સેવા જારી છે.
નવી ઉડાણો અંતર્ગત હૈદરાબાદ, તુરુઅંતપુરમ, ચેન્નઈને જોડવામાં આવી શકે છે. આ ઉપરાંત કોઈમ્બતૂર,ચેન્નઈ ક્ષેત્રોમાં ઉડાણોમાં વૃદ્ધિ કરવામાં આવી રહી છે. સાથે જ હૈદરાબાદ, બેંગલુરુ સેક્ટરમાં પણ સેવાઓ વધારવામાં આવી રહી છે.
|