જેટ એરવેજ અને સહારા ગ્રુપમાં ચૂકવણીને લઈને વિવાદ અનેક પ્રકારની વાતચીતો છતાંપણ ઉકેલવાનું નામ લેતો નથી.
સુત્રોએ જણાવ્યું કે આ વિવાદના નિવાડા માટે જૂનના પ્રથમ સપ્તાહમાં જેટ પ્રમુખ નરેશ ગોયલ તથા સહારા ગ્રુપના કાર્યકારી નિદેશક પલ્લવ અગ્રવાલની બેઠક યોજાઈ હતી.
સુત્રોના અનુસાર ત્યાર બાદ બન્ને પક્ષોના ટોચના અધિકારીઓની પણ બેઠક યોજાઈ પરંતુ કોઈ પરિણામ ન આવ્યું.
જેટના પ્રવક્તાએ સ્સંભાવિત નિવાડા વિષે કોઈ ટિપ્પણી ન કરી. સહારના પ્રવક્તા અભિજીત સરકારે કહ્યું કે, ટોચના મેનેજમેન્ટની તાજેતરમાં બેઠક યોજાઈ હતી પરંતુ કોઈ સમાધાન ન નિકળ્યું. ઉલ્લેખનીય છે કે, આ વિવાદ મુંબઈ હાઈકોર્ટમાં વિચારાધિન છે અને ગુરૂવારે તેની સુનાવણી થવાની છે.
|