મુદ્રાસ્ફુર્તિ પર નિયંત્રણ મેળવવા માટે છેલ્લા કેટલાક સમયમાં બજારમાં વધારવામાં આવેલ રોકડ મામલે હવે ચિંતાનો વિષય બન્યો છે. આવનારા સમયમાં હવે પગલાં ભરવામાં આવે એમ છે. જો એમ થાય તો ફરી એકવાર વ્યાજદર મજબૂત બની શકે છે.
સંસદમાં આજે રજુ કરાયેલ 2008-09ની આર્થિક સમીક્ષામાં કહેવામાં આવ્યું કે, એક તરફ વૈશ્વિક મંદીથી ઝઝુમી રહેલ સ્થાનિક આર્થિક વ્યવસ્થાને બચાવવા માટે નાણાબજારમાં જરૂરી રોકડ અને લોન પ્રાપ્ત કરી ઉદ્યોગોની સ્થિતિ સુધારવાની જરૂર છે ત્યાં એ પણ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે કે ક્યાંક આ નરમ વલણ કોઇ નવી સમસ્યા ઉભી ના કરી જાય.
કેટલાક લોકોનું માનવું છે કે, અર્થ તંત્રમાં જરૂરી રોકડ બનાવી રાખવાના પ્રયાસો મોંઘવારીને ઉત્તેજન આપી શકે છે. આ માટે સુનિશ્વિત કરવું જરૂરી છે કે આર્થિક વિકાસ ગતિ પકડી લે પછી બજારમાંથી વધારાની રકમ પરત લઇ લેવામાં આવે એ જરૂરી છે. આનો સીધો મતલબ એ છે કે, અર્થ વ્યવસ્થામાં જેવો સુધાર આવે કે તરત જ વ્યાજ દરમાં ફરીથી વધારો થઇ શકે છે.
|