વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » એસબીઆઈનો ચોખ્ખો નફો વધ્યો
Feedback Print Bookmark and Share
 

દેશની સૌથી મોટી ભારતીય સ્ટેટ બૈંક ‘એસબીઆઈ’ નો એકલ ચોખ્ખો નફો 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત ત્રિમાસિક ગાળામાં 10.19 ટકાની વૃદ્ધિ સાથે 2,490 કરોડ રૂપિયા થઈ ગયો છે. એસબીઆઈના ચેરમેન ઓ પી ભટ્ટે કહ્યું કે, ત્રિમાસિક ગાળા દરમિયાન બેન્કના દેણાનો વૃદ્ધિ દર 16.39 ટકા રહ્યો છે અને અમને પૂરા નાણાકિય વર્ષ માટે 22 ટકાનો વૃદ્ધિ દર પ્રાપ્ત કરવાનો ભરોસો છે.

ભટ્ટે કહ્યું જો દેણાનો વૃદ્ધિ દર વધે છે તો અમે 22 ટકાના લક્ષ્યને પ્રાપ્ત કરી લઈશું. બેન્કોને પોતાનો મૂડી પર્યાપ્તતા ખર્ચ ‘સીએઆર’ ને 12 ટકા પર રાખવા માટે આગામી પાંચ વર્ષ દરમિયાન 36,000 કરોડ રૂપિયા એકત્ર કરવા પડશે. હાલ બેન્કનો સીએઆર 14.11 ટકા છે.
સંબંધિત જાણકારી શોધો