યૂરોપીય સંઘે કહ્યું છે કે, નાણાકિય સ્થિતિમાં સુધાર વચ્ચે ક્ષેત્રની અર્થવ્યવસ્થા આ વર્ષે મંદીના માહોલમાંથી નિકળી જશે. વૈશ્વિક નાણાકિય સંકટને પગલે યૂરોપની અનેક અર્થવ્યવસ્થાઓ મંદીમાં ચાલી ગઈ હતી. આ ઉપરાંત ક્ષેત્રમાં બેરોજગારીનું સંકટ પણ વધી રહ્યું છે.
યૂરોપીય પંચે કહ્યું છે કે, યૂરોપીય સંઘની અર્થવ્યવસ્થા આ વર્ષે બીજા ત્રિમાસિકગાળામાં મંદીથી નિકળી જશે જો કે, કુલ મળીને 2009 માટે જીડીપીમાં લગભગ ચાર ટકાનો ઘટાડો આવશે. યૂરોપીય સંઘમાં 27 સદસ્ય દેશ છે.