હેલ્થકેર ક્ષેત્રની જૉનસન એંડ જૉનસને મંગળવારે કહ્યું છે કે, તે પુનર્ગઠન પહેલ અંતર્ગત વિશ્વભરમાં 8,190 નોકરીઓ ખત્મ કરશે. વિશ્વભરમાં કંપનીના કર્મચારીઓની સંખ્યા 1,17,000 છે.
આજે જારી યાદીમાં કંપનીએ કહ્યું છે કે, કંપની વૈશ્વિક કર્મચારીઓની કુલ સંખ્યાની 6.7 ટકા કપાત કરશે. કંપની જો સાત ટકા નોકરીઓ ખત્મ કરે છે તો કંપનીમાં કાર્યરત 8,190 કર્મચારી બેરોજગાર થઈ જશે.