અધિકારીઓએ જણાવ્યું છે કે, અફઘાનિસ્તાને આજે ભારતને 12 ટન સફરજનની નિકાસ કરી. અફઘાનિસ્તાનની આ પહેલ તેના કૃષિ ઉત્પાદનો માટે બહુપ્રતીક્ષિત આંતરરાષ્ટ્રીય બજારની સંભાવનાઓને વિકસીત કરવાની દિશામાં એક મોટુ પગલું છે.
ભારતને નિકાસ કરવામાં આવેલા સફરજનને વાયુ માર્ગ અને જમીન માર્ગે મોકલવામાં આવ્યાં છે. તેમનું આ પગલું ખેડૂતોને અફીણ સિવાય પણ અન્ય પાકની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવાના પ્રયત્નોનો ભાગ છે.
આંતરરાષ્ટ્રીય સહયોગ સાથે અફઘાનિસ્તાને અફીણનું ઉત્પાદન ઓછું કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ હજુ પણ દુનિયાના બજારોમાં આ માદક પદાર્થના 90 ટકાથી વધુ ભાગની આપૂર્તિ કરે છે.