બહરામપુર (પશ્ચિમ બંગાળ), સોમ, 1 ફેબ્રુઆરી 2010( 15:41 IST )
દેશની સાર્વજનિક ક્ષેત્રની સૌથી મોટી ભારતીય બેન્ક સ્ટેટ (એસબીઆઈ) ને આગામી પાંચ વર્ષોમાં આશરે 40,000-50,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની જરૂરિયાત છે.
બેન્કના અધ્યક્ષ ઓ.પી.ભટ્ટે રવિવારે મુર્શિદાબાદ જિલ્લામાં કહ્યું કે, ' નાણા એકત્ર કરવા કેટલાયે કારણો પર નિર્ભર છે. પ્રથમ બજારની સ્થિતિ અને ત્યાર બાદ જો સરકાર અમારા માટે કૈપિટલ ઇશ્યૂનો નિર્ણય લે છે તો તેના વિષે બજેટીય જોગવાઈ. તેમણે કહ્યું કે, બેન્ક એ નિર્ણય લેશે કે, આગામી છ માસથી એક વર્ષની અંદર કેવી રીતે નાણા એકત્ર કરવાના છે.
એસબીઆઈની બેન્ક વિહીન ગામોમાં શાખા ખોલવાની યોજના અંતર્ગત એક લાખમાં ગામમાં શાખા ખોલવા પ્રસંગે આયોજિત સમારોહમાં ભાગ લેવા માટે ભટ્ટ રવિવારે મુર્શિદાબાદમાં હતાં.
તેમણે કહ્યું કે, એસબીઆઈ સંપત્તિ મેનેજમેન્ટના વ્યવસાયમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે. તેના માટે બે વિદેશી કંપનીઓ સાથે વાતચીત પણ જારી છે.