મુંબઇ. કેન્દ્ર સરકારે આજે 14મી એપ્રિલના રોજ ડો. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિના શુભ અવસર પર દેશભરમાં જાહેર રજા ઘોષિત કરી હોવાથી આજે તમામ શેરબજારો બંધ રહેશે. ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ હોવાથી આજે સોમવારે મુંબઈ શેરબજાર, નેશનલ સ્ટોક એક્સચેન્જ, ફોરેક્સ અને મની માર્કેટ્સ બંઘ રહશે.
આવતીકાલ મંગળવાર સવારે મુંબઈ શેરબજારમાં કડાકો બોલશે તેવી આશંકા સેવવામાં આવી રહી છે. આજે અમેરિકા તેમજ એશિયાના બજારોમાં કડાકાનો માહોલ જોવા મળ્યો છે.
|