મુખપૃષ્ઠ » સમાચાર જગત » આજ-કાલ » ગણતંત્ર દિવસ » 26મી જાન્યુઆરી વિશેષ : જ્યારે બાપુ બોલ્યા...
પાછલું|આગલું

N.D
આપણે ત્યાં એક એવા જીવતીવાર્તા સમાન વ્યક્તિ થયા કે જેઓ એ આખાય ભારત પર પોતાની અસર છોડી તે એટલે મહાત્મા ગાંધી. તેમના વિષે આલ્બર્ટ આઈનસ્ટાઇને કહ્યું હતુ કે આવો હાડ-ચામનો માણસ હતો, આ વાત આવનારી પેઢી સાચુ નહીં માને. તેમની પ્રચંડ અસરમાંથી કોઈ બાકાત રહી શક્યુ નથી.

અહીં એક કવિ જ્યારે ગાંઘીગીરી પર ઉતરે ત્યારે શુ થાય તે અહીં અનુભવવા જેવુ છે. કારણકે આ માત્ર શબ્દો નથી પણ સામાન્ય માનવી અને ગાંઘીજીનો તીવ્ર સંવાદ છે.

આપણે વાત-વાતમાં કહીએ છીએ કે જો ગાંધી હોત તો.... આજના આ સમયમાં ગાંઘી આજે ફેશન થઈ છે ત્યારે ટિકિટમાંથી ગાંધીજી સફાળા બોલ્યા વાતને કવિએ તીવ્રતાથી આપણી સમક્ષ મુકી આપી છે. કવિ આપણો જ પ્રતિનિધિ છે માટે તે પોતાના વિચારો અને આજની હાલત કહે છે.

પાણી કેવી રીતે વાપરું, બાપુ!
અહીં ખાદીની ને ગાદીની છત છે,
પણ પાણીની અછત છે.
અહીં ભલભલી મૂછોનાં પાણીયે સૂકાઈ ગયાં છે.

લોકોમાં અવાજ ઉપાડવાની તાકાત રહી નથી આજે ગાંઘીની જરૂર છે એવું સૌને લાગે છે પણ તેના વિચારો ભુલાતા રહ્યા છે. એક બીજા પર આક્ષેપોનો ટોપલો લઈને ચાલનારા આપણે સૌ મૂળ વાતને ભુલી જઈએ છીએ. બોલનારનો તોટો નથી અને કરનારો કોઈ જડતો નથી.

પેલા ટપાલખાતાવાળા તમારી છબી પર
રદ્દીકરણનાં થપ્પા ઠોકીને તમારું મોં કાળું કરે છે,
એનું કંઈ નહીં?’ મેં નમ્રપણે કહ્યું.

ગાંઘી વિચારો આપણને યોગ્ય સમયે જ આવે છે. તેનુ કારણ કે આપણે તેટલી આઝાદી ભોગવી રહ્યા છીએ કે આપણને આપણો ભુતકાળ યાદ રહેતો નથી. છતાં તેઓ તેમની સાદાય છોડતા નથી અને વાતને હસવામાં કાઢી નાખે છે. અહીં “ટિસ્યુ-સંસ્કૃતિની ગંધ” એ વાસ્તવની ભૂમિ પર ઉભા રહીને ગાંધી બોલી રહ્યા છે અને વેદનાને આકાર આપી રહ્યા છે, અનશન, સત્યાગ્રહ, સદ્-ભાવના, ઊપવાસ જેવા હથિયારોની અસર રહી નથી. પરંતુ અહીં કવિએ ગાંધીવિચારોને પત્રના આધારે વેચ્યા છે.. કે પહેલા અને આજે તેઓનું કામ જીવંત છે સતત અને સધન રીતે. તેમના વિચારો આજે પણ લોકોને જોડતા રહે છે. ભારત બહાર તેમની હયાતી આજે પણ છે, આજે અનેક માઘ્યમોથી તેમને જનમાનસ સુધી તેઓ પહોંચી રહ્યા છે. આપણે ત્યાં મોહન અને મહાત્માને લોકો પોતાની રીતે જ સમજ્યા અને સમજાવ્યા છે તેના વિચારોનું ઉંડાણ રહ્યુ નથી. આજે બધાંને જોવા માટે જાય છે પણ તેની અંદરનો ગાંધી મુંજાય છે ત્યારે તેમના કરેલા કર્મયોગ માંથી

બાપુએ વ્હાલથી
મારી પીઠે હાથ પસવારતાં કહ્યું:
‘તું પણ આમાંથી કંઈક શીખ, ભાઈ!’

ગાંધી એક એવી આંધી હતી કે જેનાથી અંગ્રેજો ભારત છોડીને ભાગી ગયા. ગાંધીના વિચારો અને ગાંધી ચિંધ્યો માર્ગ પણ એટલા જ અસરકારક છે. ભ્રષ્ટાચારની સામેની દેશમાં ચાલેલી અણ્ણાની આંધી પાછળ પણ ગાંધી ચિંધ્યો માર્ગ અને ગાંધીના વિચાર હતા. એપ્રિલ માસમાં જ્યારે અણ્ણાને દેશના બીજા ગાંધી ગણાવીને અનશન માટે જંતર-મંતર ખાતે ઉતારાયા ત્યારે પણ લોકોને તેમનામાં ઘણી આશા હતી. ઓગસ્ટમાં રામલીલા મેદાન પરથી ઉભી થયેલી અણ્ણા ઈફેક્ટ આખા દેશે અનુભવી છે. જો કે મુંબઈના એમએમઆરડીએ મેદાનમાં મીઠી નદીના કિનારે અણ્ણાનો જાદૂ ઓસરી ગયેલો લાગ્યો.

પરંતુ તેની પાછળના કારણોનું ચિંતાપ્રેરક નહીં, પણ ચિંતનપ્રેરક છે. મોહને મહાભારતના હિંસક યુદ્ધમાં ભીષ્મ સામે રથનું પૈડું ઉગામવા સિવાય કોઈ હિંસા કરી ન હતી. તો મહાત્મા ગાંધીએ ભારતના સ્વતંત્રતા સંગ્રામના મહાભારતમાં કોઈને હિંસક થવા દીધા ન હતા. ભારતના લોકોને ગાંધી પાસે હજીપણ ઘણી મોટી આશા છે. પરંતુ ગાંધી જેવી આંધી ઉભી કરનારા લોકો જ્યારે તેમના વિચારની કાંતિને ચમકાવી શકતા નથી, ત્યારે તેઓ અસફળ થાય છે. અણ્ણા ઈફેક્ટના અત્યારે દેખીતા વળતા પ્રવાહો તેનું જીવતુંજાગતું ઉદાહરણ છે. પણ તેમ છતાં હજી ભારતને ગાંધીનો ઈન્તજાર છે.
પાછલું|આગલું
WebduniaWebdunia
Photogallery | Games