છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં રહેનારા હવાલા કૌભાંડના મુખ્ય સુત્રધાર ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મધુ કોડાએ હજાર કરોડ રૂપિયા ઉપરાંતનું કૌભાંડ આચર્યુ છે. કોડાએ આચરેલા કૌભાંડનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે તેવા સમયે નાર્કો ટેસ્ટથી તે વધુ મુશ્કેલીમાં મુકાય તેવી શક્યતા છે.