ન્યૂયોર્ક(વાર્તા) અમેરિકામાં ચારવર્ષ પહેલા એક નાવડી દુર્ઘટનામાં પગ ગુમાવનારા ભારતીય મુળના નાગરિકને 65 લાખ ડોલરનુ જંગી વળતર ચુકવાશે.
15મી ઓક્ટોબર 2003ના રોજ મેનહૈટનથી આવતી એક નાવડી સ્ટેટન દ્વીપમાં એક દુર્ઘટનાગ્રસ્ત બની હતી. જેમાં 11 જણાંના મોત થયા હતા. જ્યારે આ નાવડીમાં મુસાફરી કરી રહેલા ભારતીય મૂળના શ્રીરામ અગ્નીના પગમાં ઈજા પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમનો પગ કાપવો પડ્યો હતો. આ બનાવમાં શારિરીક વિકલાંગ બનેલા શ્રીરામને ન્યૂયોર્ક પ્રસાશન દ્વારા 65 લાખ ડોલર જેટલુ જંગી વળતર ચુકવવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
|