ઈસ્લામાબાદ. પાકિસ્તાન વાયુસેનાનુ એક ફાઈટર પ્લેન પંજાબ પ્રાંતમાં નિયમીત અભ્યાસ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. જોકે, આ દુર્ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો હતો.
પાકિસ્તાની વાયુસેનાના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, ફૈસલાબાદ શહેરથી 25 માઈલ પશ્ચિમમાં એફ-7 જેટ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. આ દુર્ઘટના ક્યાં કારણસર સર્જાઈ હતી તે જાણવા માટે વાયુસેનાએ પ્રયાસો હાથ ધર્યા છે.
|