કાઠમંડુ. પાછલા એક દસકાથી ચાલતા હિંસક વિદ્રોહમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને એક લાખ નેપાળી રૂપિયા વળતર પેટે ચુકવવાનો નિર્ણય નેપાળ સરકારે લીધો છે.
અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી ગિરીજા પ્રસાદ કોઈરાલાની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, માઓવાદીઓ અથવા સુરક્ષાદળો દ્વારા માર્યા ગયેલા લગભગ 13,246 લોકોના પરિવારજનોને સહાયતા સ્વરૂપે આ રકમ આપવામાં આવશે. બીજી તરફ મૃતકોની વિધવાઓને 25,000 નેપાળી રૂપિયા તથા તેના ત્રણ બાળકોને શિષ્યવૃત્તી આપવામાં આવશે.
|