ઢાકા. બાંગ્લાદેશની પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને જેલમાંથી મુક્ત કરાવવા માટે તેમની પાર્ટી બાંગ્લાદેશ આવામી લીગે 25 લાખ લોકોના હસ્તાક્ષર વાળી એક રજુઆત સરકારને સુપરત કરી હતી.
પાર્ટીના પદાધિકારીઓએ જણાવ્યુ હતુ કે, શેખ હસીનાને મુક્ત કરાવવા ઈચ્છતા દેશના લાખો લોકોએ પોતાના હસ્તાક્ષર દ્વારા સરકારના કાને પોતાની રજુઆત પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, શેખ હસીનાને ભ્રષ્ટાચારના કથિત આરોપસર 2007થી જેલમાં ધકેલી દેવાયા હતા.
|