રશિયાનાં એક ટોચનાં સૈન્ય જનરલે કહ્યું હતું કે, 3 હજાર કિલોમીટરની મારક ક્ષમતાવાળી ભારતની અગ્નિ-3 બેલેસ્ટિક મિસાઈલ 5 હજાર કિમી સુધીનાં લક્ષ્યને ભેદી શકે છે.
અધિકારીએ એમ પણ કહ્યું હતું કે, અગ્નિ-3 રશિયાની એસ.એસ-20 પરમાણુ મિસાઈલની સમકક્ષ છે. ઉલ્લેખનીય છે કે, ભારત દ્બારા બીજી વખત ગઈકાલે કરવામાં આવેલા જમીનથી જમીન પર માર કરનારા પરમાણુ શસ્ત્રને લઈ જવામાં સમક્ષ અગ્નિ-3નાં સફળ પરિક્ષણ બાદ રશિયના જનરલે આ બયાન આપ્યું હતું.
મેજર જનરલ યેવગેની બોરોદુનોવનાં હવાલેથી કહેવામાં આવ્યું હતું કે, ભારતીય સુરક્ષા અધિકારીઓ તરફથી ઉપલબ્ધ માહિતીનાં આધારે એ અનુમાન તારવવામાં આવ્યું છે. અગ્નિ-3 પાંચ હજાર કિલોમીટર સુધીનાં લક્ષ્યને ભેદી શકે છે.
અહેવાલ પ્રમાણે તે સોવિયેત સેનાનાં ખાસ ઈંધણ આધારિત બીઆરએસ પાયોનિયર મિસાઈલ (નાટોનું કૂટ નામ એસ.એસ-20 મિસાઈલ) સમાન છે.
|