મ્યાનમારમાં ચક્રવાતથી અસરગ્રસ્ત લગભગ પાંચ હજાર વર્ગ કિલોમીટર વિસ્તાર હજું પણ જળમગ્ન છે. સંયુક્ત રાષ્ટ્ર પ્રવક્તાએ આજે જણાવ્યું હતું કે, ત્યાં 10 લાખથી વધુ લોકોને કટોકટીની રાહતની જરૂર છે.
બેંકોકમાં સંયુક્ત રાષ્ટ્રનાં માનવીય બાબતોનાં સમંવય કાર્યાલયનાં પ્રવક્તા રિચર્ડ હોર્સે કહ્યું હતું કે, પાણીમાં ડૂબેલા વિસ્તારોમાં હોડીઓ, હેલીકોપ્ટર અને ટ્રકોની જરૂર છે. દસ લાખથી વધુ લોકોને મદદની જરૂર છે. તોફાનથી તેમનાં જહાજો ક્ષતિગ્રસ્ત થવાથી ઈરાવદી ડેલ્ટાનાં અસરગ્રસ્ત વિસ્તારોમાં હોડીઓની ઉણપ સર્જાઈ છે.
ચક્રવાત બાદ ફ્રાંસ અને સંયુક્ત રાષ્ટ્ર બંને મદદ કરવા તૈયાર છે. પરંતુ મ્યાનમારનું સૈન્ય પ્રશાસન લીલી ઝંડી આપી રહ્યું નથી. મ્યાનમારની સેના બહારની મદદ પ્રત્યે અનિચ્છુક રહે છે.
|