ઈસ્લામાબાદ. પાકિસ્તાનની સરકારે સરબજીતની સજાને ફાંસીમાંથી આજીવન કેદમાં ફેરવતાં તેનો એવુ કહેતા વિરોધ કર્યો હતો કે આનાથી વિઘટનકારી પ્રક્રિયાઓને વેગ મળશે.
સમાચાર ચેનલ ડોનનાં જણાવ્યાં અનુસાર ગૃહ મંત્રાલયની એક બેઠકમાં સરબજીત કેસની સમીક્ષા કરવામાં આવી હતી. આની અંદર વિદેશ કાનૂન તથા માનવાધિકાર મંત્રાલયના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.
ચેનલના સૂત્રોનાં જણાવ્યાં અનુસાર ગૃહ મંત્રાલયની રાયમાં સરબજીતની સજાને ઓછી કરવાથી પાકિસ્તાનની અંદર ભારતીય આતંકવાદને વેગ મળશે.
પાકિસ્તાનના અધિકારીઓએ હમણાં સરબજીતની ફાંસીજી સજાને અનિશ્ચિત સમય માટે રોકી દિધી છે. સરબજીતને લાહોરમાં 1990 માં થેયલ હુમલાનો આરોપી ઠેરવવામાં આવ્યો હતો અને તે પાછલાં બે દશકાથી જેલની અંદર બંધ છે.
|