લોસ એજેંલસ. પિયાનોવાદક અને શાસ્ત્રીય રેકોર્ડિંગનું સૌથી વધારે વેચાણ માટે પ્રખ્યાત કલાકાર લિયોનાર્ડો પેનારિયોનું નિધન થઈ ગયું છે. તેઓ 83 વર્ષના હતાં.
પેનારિયોનું નિધન શુક્રવારે લા જોલા કૈલીફોર્નિયામાં આવેલ તેમના નિવાસસ્થાન પર થયું હતું. તેઓ પાર્કિસન બિમારીથી ગ્રસ્ત હતાં.
પેનારિયાને 1960ના દશકામાં ગ્રૈમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ ભાવના પ્રધાન કલાકાર હતાં જેમણે દર્શકોની સામે સીધી રજુઆત કરી હતી.
તેમનો જન્મ ન્યોયોર્ક બફૈલોમાં નવ જુલાઈ 1924માં થયો હતો.
|