જાસૂસના આરોપમાં પાકિસ્તની અધિકારીઓ દ્વારા એક દસકા પહેલા પકડવામાં આવેલ ભારતીય નાગરિક રામ પ્રકાશને તેમની જેલની સજા પૂરી થયા પછી મંગળવારે છોડી દેવામાં આવ્યો.
51 વર્ષના પ્રકાશને આજે સવારે લાહોરની કોટ લખપત જેલમાંથી છોડી દેવામાં આવ્યા. આંતરિક મંત્રાલયે પ્રકશની 10 વર્ષની કેદની સજા પૂરી થયા પછી કાલે તેમને છોડવાનો આદેશ આપ્યો હતો.
ટીવી ચેનલોની રિપોર્ટ મુજબ જેલ અધિકારી પ્રકાશને વાધા સીમા પર લઈ ગયા અને ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યો. પાકિસ્તાને મે મહિનામાં 99 ભારતીય કેદીઓને છોડ્યા હતા. જેમાં 96 માછીમાર હતા.
|