ઉલાન બટોર. મંગોલીયાના રાષ્ટ્રપતિ નાંબારિન એંખબયારે ચાર દિવસની ઈમરજંસીની ઘોષણા કરી છે. આ ઘોષણા રાજધાનીમાં થઈ હતી તે પ્રદર્શનો બાદ સામે આવી છે જેમાં પ્રદર્શનકારીઓએ દાવો કર્યો છે કે અઠવાડિયાના અંતમાં થયેલ ચુંટણીમાં ધમાલ થઈ છે.
સરકારી ટેલીવિઝન પર વાંચવામાં આવેલ એક વ્યક્તવ્યમાં કહ્યું કે રાત્રે 11 વાગ્યે અને 30 મિનિટથી ચાર દિવસની ઈમરજંસી રહેશે. આ આદેશમાં ચેતવણી આપવામાં આવી છે કે જરૂરી દસ્તાવેજ વિના પણ રસ્તા પર આવશે તો તેની ધરપકડ કરી લેવામાં આવશે. સાર્વજનિક કાર્યક્રમો અને સ્વતંત્ર મીડિયા પર પણ પ્રતિબંધા મુકાયો છે.
|