ઇસ્લામાબાદ. પાકિસ્તાનના અશાંત ઉત્તર પશ્વિમ સ્વાતઘાટીમાં પોલીસ થાના પર આજે કરાયેલ આત્મઘાતી બોમ્બ હુમલામાં ઓછામાં આછા 20 લોકોના મોત થવાના તથા કેટલાય ઘાયલ થયાના સમાચાર છે.
હુલાખોરોએ વિસ્ફોટકોથી ભરેલી કાર ચારબાગ સ્થિત પોલીસ થાણામાં ઘુસાડી દીધી હતી. આ વિસ્તાર સ્વાત જિલ્લાના મુખ્ય શહેર મિંગોરાથી અંદાજે 10 કિલોમીટર દુર છે. અગાઉ અહીં થયેલા હુમલાને પગલે અહીં અર્ધસૈનિક બળની ટુકડીઓ પણ તૈનાત કરાઇ હતી.
સરકારી ટેલીવિઝન ચેનલ પીટીવીના જણાવ્યા મુજબ આજે થયેલ હુમલામાં 20લોકોના મોત થયા છે. જ્યારે કેટલાય ઘાયલ થયા છે. ઘાયલોને નજીકથી હોસ્પિટલોમાં દાખલ કરાયા છે. તેમજ આ વિસ્તારમાં કરફ્યુ લાદી દેવાયો છે.
તો તહરીક...એ...તાલીબાન પાકિસ્તાનના સ્વાત ઘાટીના પ્રવક્તા મુસ્લિમખાને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.
|