એફબીઆઈએ મુંબઈ પર થયેલા હુમલા પર પોતાનો રીપોર્ટ પાકિસ્તાનની સરકારને સોંપ્યો છે.
આ પુરાવામાં હુમલામાં લશ્કરે તોયબાનાં લીડરોની સંડોવણી બહાર આવી છે. જેમાં ફોન પર થયેલી વાતચીત પણ રેકોર્ડ કરવામાં આવી છે. તેની ઓડિયો કેસેટ પણ સોંપવામાં આવી છે.
આ અગાઉ ભારત સરકારે મુંબઈ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીને સંબંધિત પુરાવા પાકિસ્તાનને સોંપ્યા હતા. પણ પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશીએ તે પુરાવાને માન્ય રાખ્યા નહતાં.તેમણે જણાવ્યું હતું કે બંને દેશ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ ન હોવાથી આરોપીઓને સોંપવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.
|