નેપાળમાં પશુપતિનાથ મંદિરના પૂજારીઓને હટાવવાનો વિવાદ વધતો જઈ રહ્યો છે. એક તરફ અધિકારીઓએ આજે પશુપતિનાથ અને તેની આસપાસના વિસ્તારોને પ્રતિબંધિત ક્ષેત્ર જાહેર કરી દીધો છે તો બીજી બાજુ આ વિવાદને ઉકેલવા માટે પ્રધાનમંત્રીએ પણ ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી સમસ્યના ઉકેલ માટે પ્રયાસ હાથ ધર્યા છે.
પશુપતિનાથ મંદિરના પ્રાંગણમાં થઈ રહેલ સતત પ્રદર્શન અને સંઘર્ષથી હિંસા વધવાની આશંકા પછી પશુપતિ ક્ષેત્ર વિકાસ ટ્રસ્ટના વિસ્તારમાં એક જગ્યા ભેગા થઈને પ્રદર્શન અને રેલી કાઢવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
ગઇ કાલે માઓવાદી સરકાર દ્વારા મુખ્ય પૂજારી સહિત ત્રણ ભારતીય પૂજારીઓએ રાજીનામુ આપવા માટે મજબૂર કરીને અને તેની જગ્યાએ બે નેપાળી પૂજારીઓની નિયુક્તિ પછી ત્યાં વિવાદ ઉભો થયો છે.
|