ગ્વાટેમાલામાં જોરદાર ભૂસ્ખલનમાં પર્વતનો એક ભાગ તૂટી ગયો હતો તેમજ ઉત્તરી ગ્વાટેમાલા રાજમાર્ગનો એક ભાગ દબાઈ ગયો. જેમા ઓછામાં ઓછા 34 લોકો માર્યા ગયાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. બચાવકર્મચારીઓ પુરજોશમાં કામગીરી શરૂ કરી દીધી છે.
ગ્વાટેમાલાના ઉપરાષ્ટ્રપતિ રાફેલ એસ્પૈડાએ કહ્યુ કે મરનારાઓની સંખ્યા વધી શકે છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓને હજુ પણ જાણ નથી કે રવિવારે જ્યારે આ ભૂ:સ્ખલન થયુ ત્યારે તે વિસ્તારમાં કેટલા લોકો હાજર હતા. આ ઘટનામાં અકીલ ગ્રાડે ગામની નજીક એક કિલોમીટરથી વધુ અંતરનો રાજમાર્ગ ધસી પડ્યો.
તેમણે જણાવ્યુ કે લોકો આ ઘટનાથી ઘણા ગભરાયા છે. ભૂસ્ખલન એટલુ ભયાનક થયુ કે કોઈના પણ બચવાની આશા ખૂબ જ ઓછી છે. બચાવકાર્યમાં લગભગ 165 લોકોની લાશ મળી છે. બચાવકર્મચારીઓ લાશોને મલબાના નીચેથી કાઢીને જમીન પર મૂકી રહ્યા છે અને લોકો તેમની ઓળખ કરવામાં લાગ્યા છે.
|