નેપાળનાં સુપ્રસિધ્ધ પશુપતિનાથ મંદિરમાં ભારતીય મૂળનાં મુખ્ય પૂજારી ભારત આવી શકે છે.
ભારતીય પૂજારીઓને હટાવી દીધા બાદ દેશ વિદેશમાં ભારે વિરોધ પેદા થયો હતો.પ્રચંડ સરકાર ભારતીય બ્રાહ્મણની જગ્યાએ નેપાળનાં પૂજારીને મંદિરનો પદભાર સોંપતા, તેના વિરોધમાં સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.
માઓવાદી સાંસ્કૃતિક મંત્રી ગોપાલ કીર્તિની અધ્યક્ષતામાં પશુપતિ એરિયા ડેવલેપમેન્ટે સોમવારે સુપ્રિમ કોર્ટમાંથી અરજી પાછી ખેચવા અપીલ કરી હતી.ઉલ્લેખનીય છે કે દક્ષિણ ભારતીય પૂજારી છેલ્લાં 16 વર્ષથી પૂજારી તરીકે સેવા આપે છે.
|