ધાર્મિક વિદ્વાનો અને ઉલેમાઓનાં એક સમૂહે ભારત વિરૂધ્ધ યુદ્ધ થાય તો જેહાદ કરવાની દરેક પાકિસ્તાનીને આદેશ કર્યો છે.
આ ફતવો તહફુઝ એ નમૂસ એ રિસાલત મહાજ દ્વારા સોમવારે લાહોરમાં જાહેર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મંત્રી નૂરૂલ હક કાદરી હાજર રહ્યાં હતાં.જેમાં યુદ્ધ સંબંધી ભારતની ધમકી પર ચર્ચા કરવામાં આવી હતી.
ધાર્મિક નેતાઓએ જણાવ્યું હતું કે ભારત સાથે વૈમનસ્યતા ભરી સ્થિતિમાં પાકિસ્તાની સરકારે પશ્ચિમી સરહદ પર અમેરિકાને સમર્થન કરવાનું બંધ કરી દેવું જોઈએ.
તેમજ તેમણે જણાવ્યું હતું કે યુદ્ધ જેવી સ્થિતિમાં ભારતે પરમાણુ ક્ષમતાનો ઉપયોગ દેશની રક્ષા માટે કરવો જોઈએ.
|