પાકિસ્તાનના સૂચના મંત્રી શેરી રહમાને આજે જણાવ્યુ હતું કે મુંબઈ હુમલાના મામલે ભારત અને પાકિસ્તાન એકબીજા પર આરોપ પત્યારોપ કરવાનું બંધ કરે. અને બંને દેશ સાથે મળીને તેમના દૂશ્મનનો નાશ કરે.
શેરી રહેમાને જણાવ્યુ કે મુંબઈ હુમલામાં પાકિસ્તાની એજંસીઓના હાથ આંગે ભારતીય નેતૃત્વ વિરોધાભાષી ટીપ્પણીઓ કરી રહ્યુ છે.તેમણે કહ્યુ હતુ કે પાકિસ્તાન યુદ્ધ નથી ઈચ્છતુ પરંતુ જો પાકિસ્તાન પર દોષનો ટોપલો થોપવામાં આવશે તો માતૃભૂમિની રક્ષા માટે અમે પણ પાછળ નહી હટીએ.
|