બ્રિટનની જાસુસી સંસ્થા એમઆઈ 5એ પાકિસ્તાન સ્થિત અલ કાયદાનાં આતંકવાદીઓ દ્વારા બ્રિટન પર હુમલો કરવામાં આવ શે,તેવી આશંકા વ્યક્ત કરી છે.
એમઆઈ 5નાં ડાયરેક્ટર જોનાથન રોસનાં જણાવ્યા મુજબ અલ કાયદાએ પાકિસ્તાનમાં મોજુદ આતંકવાદીઓ બ્રિટન પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યાં છે. અને, તેઓ આ હુમલો કરવા સક્ષમ છે.
રોસે જણાવ્યું હતું કે આતંકવાદી હુમલાઓને રોકવા માટે જાસુસી તંત્રને મજબૂત કરવું ખુબ જરૂરી છે.ત્યારે જ આતંકવાદીઓનાં ષડયંત્રને નાકામ કરી શકાશે. |