પડોશી દેશ નેપાળમાં વિજળીની અછતનો સામનો કરી રહ્યું છે. તેના કારણે દિવસનાં 16 કલાક વિજળી વગર રહેવા તે મજબૂર છે.
સરકારનાં એકાધિકાર ધરાવતાં વિજળી ક્ષેત્રનાં અધિકારીઓ તેના માટે પર્વત પરથી બરફ ઓછો પીગળતાં પાણીની ઉભી થયેલી અછતને કારણભૂત ગણાવી રહ્યાં છે. જેને કારણે જળવિદ્યુત મથકોમાં વિજળીનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે.
નેપાળનાં વિદ્યુત ખાતાનાં વરિષ્ઠ અધિકારી શેરસિંહ ભટ્ટે જણાવ્યું હતું કે જળવિદ્યુતનું ઉત્પાદન ઓછું થવાથી પાવરકટ કરવું પડી રહ્યું છે. હાલ 800 મેગાવોટની માંગ સામે 300 મેગાવોટનું ઉત્પાદન થઈ રહ્યું છે. તેથી સામાન્ય જનતાને તેનો સામનો કરવો પડી રહ્યો છે.
|