મધ્ય સોમાલિયામાં ઈસ્લામી વિદ્રોહીઓની વચ્ચે થયેલી અથડામણ દરમિયાન ઓછામાં ઓછા 29 લોકોનાં મોત થયાં હતાં અને 50 કરતાં પણ વધારે લોકો ઘાયલ થયાં હતાં.
ગુરેલ શહેરમાં સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત સોમાલિયાઈ સરકાર પર હમદર્દી ધરાવનારી ઈથોપિયાઈ સેના ક્રમિક રૂપથી દૂર થવાને લીધે કટ્ટરપંથી અલ શબાબ વિદ્રોહીઓ અને સ્થાનીક ઈસ્લામી વિદ્રોહીની વચ્ચે અથડામણ થઈ હતી.
સોમાલિયાના અધિકારીઓએ ચેતવણી આપી હતી કે સત્તા શુન્યતાથી સ્થિતિમાં અથડામણ વધારે આક્રમક બનશે.
પાછલાં મહિને અલ શબાબે રાજધાનીથી 370 કિલોમીટર દૂર ઉત્તરમાં આવેલ ગુલેર પર નિયંત્રણ ગુમાવી દિધું હતું અને એક સ્થાનીક વિદ્રોહી કમાંડરે જણાવ્યું કે તેઓ તેને પાછી લેવામાં નિષ્ફળ રહ્યાં હતાં.
|