શ્રીલંકન ક્રિકેટ ટીમ પર મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં સંડોવાયેલા 12 સંદિગ્ધ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આ અંગે જાણકારી આપનારને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.
આ હુમલામાં શ્રીલંકાનાં છ ખેલાડીઓ ઘાયલ થયા હતા. શહેરનાં ગુલબર્ગ ક્ષેત્રમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે હોસ્ટેલ અને ગેસ્ટ હાઉસો પર છાપા મારીને 12 સંદિગ્ધો લોકોની ધરપકડ કરી હતી. જો કે પોલીસને ઉલ્લેખનીય આતંકવાદીની ધરપકડ કરવામાં સફળતા મળી નથી.
તો પંજાબ સરકારે આંતકવાદી અંગે સચોટ માહિતી આપનારને એક કરોડ રૂપિયા ઈનામ આપવાની જાહેરાત કરી છે. તેમજ સામાન્ય જનતાને પણ મદદ કરવાની અપીલ કરી છે. લાહોરનાં સૌથી વ્યસ્ત માર્ગ પર પસાર થઈ રહેલી શ્રીલંકન ટીમ પર હુમલો કરીને આતંકવાદીઓ ફરાર થઈ ગયા હતા.
|